💐ખેમરો અને લોડણ
🌹કોઇ ચડાવે સીંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોઈ , તારી ખાંભી માથે ખીમરા !
- આ એ ગાળા ની વાત છે જયારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કૂળ અલગ પડયું એમા થી રાવલીયા સોરઠિયા આહીર કહેવાણા એનો એક કૂળ દિપક એટલે ખીમરો કહેવાય છે કે સુર્યાવદર ( તા.કલ્યાણપુર જિ.દ્વારકા ) એનુ ગામ ત્યાં થી એના ઘોડા ના ડાબલા પડે એટલી સીમા માં કોઈ અત્યાચારી ડાકુ લૂટારો કે બહારવટિયો પોતાની બદ ઈરાદા ની પ્રવૃત્તિ કરી ન શકતો એવી એની બહાદુરી પંથક માં વખણાતિ !
સુર્યાવદર થી સેંકડો ગાઉ દૂર ખંભાત , આ ખંભાત ની એક ખમતીધર પેઢી એટલે જેરામ મહેતા કોઈ એને વાણીયા કહે છે અમુક બ્રાહ્મણ !
જેરામ આતા ના સંસ્કારી ખોરડે ઊગી ને ઉછરેલ આઈ લોડણ આઈમાં જેરામ મહેતા ના આંગણે ખિલખિલાટ કરે. છે , જેરામ મહેતા ના વહાણ અનેક દેશ માં હાલતા એવી જાહોજલાલી પણ સંસ્કાર અને સત્સંગ નો પર્યાય એટલે જેરામ મહેતા !
એક દિવસ સાધુ ની જમાત આંગણે આવી રાતવાસો કર્યો રાત્રે ડાયરો સત્સંગ કિર્તન કરવા બેઠો અને સાધુ એ મીરાં બાઈ અને ક્રૃષ્ણ ના અમર પ્રેમ ની વાત માંડી બધા તો જાણે વાર્તા સાંભળતા હોઈ એમ પણ જાણે અંતર માંથી જ કંઈક અલગ અવાજ આવતો હોઈ એમ તરૂણ વય ના આઈ માં લોડણ આ વાત ને તન્મયતા થી સાંભળે છે !
અંતે જિજ્ઞાસાવશ આઈ માં લોડણ પેલા સાધુ ને પુછે છે કે મારે મીરાંબાઈ જેમ કૃષ્ણ ને પામવા હોય તો ?
આ સવાલ બાળસહજ સમજી અને વાત ટાળવા માટે કે આ તો બાળક છે કાલ ભૂલી જશે એમ માની અને સાધુ મહાત્મા કહે
'' બેટા એના માટે તો તારે આકરૂ તપ કરવૂ પડે આજીવન બ્રહ્મચર્ય નુ પાલન કરવુ પડે આજ થી પુખ્ત વય ની થા ત્યા સુધી પરપુરૂષ નુ મોઢું સુધ્ધા ન જો અને પુખ્ત વયે પહેલુ મુખ દ્વારકાધીશ નુ જો તો જ ક્રૃષ્ણ તને સ્વિકારે '' !
બાળસહજ બુદ્ધી મા આઈ લોડણ આવુ આકરૂ નીમ લ્યે છે અને વર્ષો સુધી એનુ કઠોર પાલન કરે છે પોતાના બાપ જેરામ આતા અને ભાઈ ( જેનુ નામ પણ ખીમરો જ હોવાનુ મનાય છે ). સિવાય કોઈ પુરુષ નુ મૂખ જોતાં નથી અને ક્રૃષ્ણભક્તિ માં લીન રહે છે !
વર્ષો ના વહાણા વિતે છે અને આઈ માં ની વય પૂખ્તતા ના ઉંબરા ને અડકવા માં છે ખંભાત થી જબરો સંઘ લઇ અને આઈ લોડણ દ્વારકા ની યાત્રા એ નિકળે છે !
હાલતા હાલતા સંઘ રાવલ (સુર્યાવદર ની નજીક હાલ નુ રાવલ તા.કલ્યાણ પૂર જિ. દ્વારકા ) નજીક પહોંચે છે અને સાથે પહોંચે છે સંઘ નુ કેટલાય ગાઉ થી પગેરૂ દબાવતા બહારવટીયા સાંજ ના સમયે સંઘ પર લૂંટ ના ઈરાદે હિચકારો હુમલો થાય છે પણ ડાડો ખીમરો ત્યાં સાની નદી ના કાંઠે પોતાના ખેતર માં પાણી વાળતો હોય છે દૈવી અવતાર સમાન ડાડો ખેમરો સંઘ ની વહારે દોડી જાઈ છે અને જીવ સટોસટ ની લડાઈ કરી બહારવટિયાઓ ને ભગાવે છે સાંજ પડી ગઇ હોય સંઘ રાતવાસો કરવા ત્યાં રોકાઈ છે !
આ ઉત્તમ બ્રમચર્ય તપ ધરાવતી આઈ ની વાત સાંભળી અને ગામની બેન દીકરી ઓ અને માવડીયુ સાંજે ત્યા દર્શને જાય છે પણ પૂર્વભવ ની પ્રિત જાણે બોલાવતી હોય એમ જતિ નો અવતાર ડાડો ખીમરો પણ ત્યાં દર્શન ની હઠ લ્યે છે !
મારે ઈ ભગતાણી ને જોવી છે
પણ કોઈ ના તપ થોડા ભંગાઈ ઠાકર કોઈ દી માફ ના કરે મારા લાડકા દેર !
પણ વ્રત તો એણે કોઈ પરપુરૂશ નુ મોઢું ન જોવાનું લીધુ છે કોઈ ને મોઢું ન જોવા દેવા નુ થોડું નીમ છે , હુ છેટો ઉભી ને જોઈ લઇશ અને એને ખબર પણ નહી પડે !
પણ ન્યા તને લય કેમ જાવો ?
આખરે હઠે ભરાઈ ને ખીમરો ભોજાઈ (ભાભી) ના કપડાં પેરી સ્ત્રી વેશે સાથે જાય છે !
આ બાજુ આઈ લોડણ સહુ શ્રધ્ધાળુ સાથે સત્સંગ કરતા બેઠા છે અને ત્યા એ બાજુ ડાડા ખેમરા બીજી સ્ત્રીઓ સાથે ઈ બાજુ આવે છે , હવે બીના એવી બને છે કે જાણે આ જન્મોજનમ ની પ્રેમકથા હોઈ અને ખુદ જગતનિયતા જ બેય ના મીલન કરાવતો હોય , ટૂંક માં ચાલી ને આવતા ખીમરાડાડા અને સ્ત્રીઓ ને પાણી નુ એક નાનુ વહેળુ પસાર કરવાનુ થાય છે જે પુરુષ સહજ સ્વભાવે ખેમરો ટપી (ઓળંગી) જાય છે જ્યારે અન્ય સ્ત્રીઓ એમાં પગ બોળી ને ચાલે છે , આ દ્રશ્ય આઈ માં નિહાળે છે અને પગ થી પુરૂષ પરખાઈ જવા છતા ઈશ્વર કૃત જિજ્ઞાસા થી ખીમરા નુ મોઢું આઈ માં જોઈ લ્યે છે !
આઈમાં ના નીમ નો ભંગ થાય છે પણ તપસ્વિ સમાન માતાજી એને ઈશ્વર ની મરજી સમજી ખીમરા ને પ્રભુપ્રસાદી તરીકે સ્વિકાર કરે છે અને સાથે જીવવા મરવા ના એકબીજા ને કોલ દયે છે !
''ખીમરા દ્વારકા વારા ની જાત્રા પુરી કરી અને પછી જ ચોરી ના ફેરા ફરશુ''
''ઠીક ત્યારે ઠાકર કરે ઈ ઠીક''
ડાડો ખીમરો આઈ માં ને જાત્રા પુરી કરવા ની રજા આપે છે પણ પ્રેમ ની અમર ગાંઠ એને અકળાવે છે , આખરે સંઘ જાત્રા પૂરી કરવા દ્વારકા ના મારગે હાલતો થાય છે !
આ બાજુ વરસો નુ વેર સંઘરી ને બેઠેલ બહારવટીયાઓ રાત ના અંધકાર માં નિંદ્રાધીન ખીમરા ઉપર ખૂની હૂમલો કરી એને કરપીણ હત્યા કરે છે !
પેલી બાજુ દ્વારકા ના દરિયા કિનારે પવિત્ર ગોમતીજી માં સ્નાન કરી ૫૬ પગથિયા ની સીડી ચડી અને રાજાધિરાજ ની મંગળા આરતી ના દર્શન કરી રહેલ લોડણ ને આ દૃશ્ય ત્યા સ્વપ્ન સ્વરૂપે દેખાય છે અમંગળ ભાસતા આઈ મનોમન પ્રાર્થના કરે છે !
દ્વારકા ના દેવળમા સમણુ દીઠુ એક
સાચુ હોજો સગા વીર નુ પણ ખોટુ ઈ ખીમરા નુ !
ઉતાવળે પગલે સંઘ પાછો આવે છે પણ
જાણે ધરતી વાંઝણી થઇ ગઇ હોય એમ નૂર ગુમાવી બેઠી છે , ઝાડવા જાણે હમણા લોડણ એની પાસે એના ખીમરા નો જવાબ માંગશે એમ ઝંખવાણા પડી ગ્યા છે , પણ મનેખ ? જાણે કુદરત નો કોઈ જઘન્ય અપરાધ કરી બેઠા હોય જેની સજા કલ્પી ન શકાય !
છેવટે હિમાલય નુ કાળજુ ફાડી નાખે કરૂણ રૂદન કરતાં કરતાં આઈ લોડણ ખીમરા ની ખાંભી પાસે આવે છે સારસ થી વિખૂટી પડેલી સારસી જેમ ઝુરી ઝુરી ને એના પ્રાણ ત્યાગે એમ આઈ માં લોડણ ખીમરાડાડા ની ખાંભી માથે પોતાનુ માથું પછાડી પછાડી ને પ્રાણ ત્યાગે છે !
કોઇ ચડાવે સીંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોઈ , તારી ખાંભી માથે ખીમરા !
હાલ રાવલ ( તા. કલ્યાણ પુર જિ. દ્વારકા ) ના પાદર માં ખેમરા લોડણ ની ખાંભી આવેલી છે જયાં હાલ મંદિર પણ નિર્માણ પામેલ છે સાથે કુળદેવી માં વિંધ્યવાસીની બિરાજમાન છે , થોડે જ દુર સુર્યાવદર ની સીમ મા ડાડા ની રણ ખાંભી પણ છે , દર વર્ષે રાવલીયા (આહીર) કુટુંબ ત્યા ભેગુ થઈ હવન કરે છે.અને ડાડા ને પૂજે છે !
પણ હજી આ ઈતિહાસ અનેક રહસ્યો સાચવી ને બેઠો છે આઈ માં લોડણ અને ડાડા ખીમરા ને પ્રાર્થના દયા કરે જેથી આવનારી પેઢી ઉજળા ઈતિહાસ ની અસ્મિતા જાણે તથા ઉજળા વારસા થી માહિતગાર થાય !
જય મુરલીધર જય માતાજી
🌹કોઇ ચડાવે સીંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોઈ , તારી ખાંભી માથે ખીમરા !
- આ એ ગાળા ની વાત છે જયારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કૂળ અલગ પડયું એમા થી રાવલીયા સોરઠિયા આહીર કહેવાણા એનો એક કૂળ દિપક એટલે ખીમરો કહેવાય છે કે સુર્યાવદર ( તા.કલ્યાણપુર જિ.દ્વારકા ) એનુ ગામ ત્યાં થી એના ઘોડા ના ડાબલા પડે એટલી સીમા માં કોઈ અત્યાચારી ડાકુ લૂટારો કે બહારવટિયો પોતાની બદ ઈરાદા ની પ્રવૃત્તિ કરી ન શકતો એવી એની બહાદુરી પંથક માં વખણાતિ !
સુર્યાવદર થી સેંકડો ગાઉ દૂર ખંભાત , આ ખંભાત ની એક ખમતીધર પેઢી એટલે જેરામ મહેતા કોઈ એને વાણીયા કહે છે અમુક બ્રાહ્મણ !
જેરામ આતા ના સંસ્કારી ખોરડે ઊગી ને ઉછરેલ આઈ લોડણ આઈમાં જેરામ મહેતા ના આંગણે ખિલખિલાટ કરે. છે , જેરામ મહેતા ના વહાણ અનેક દેશ માં હાલતા એવી જાહોજલાલી પણ સંસ્કાર અને સત્સંગ નો પર્યાય એટલે જેરામ મહેતા !
એક દિવસ સાધુ ની જમાત આંગણે આવી રાતવાસો કર્યો રાત્રે ડાયરો સત્સંગ કિર્તન કરવા બેઠો અને સાધુ એ મીરાં બાઈ અને ક્રૃષ્ણ ના અમર પ્રેમ ની વાત માંડી બધા તો જાણે વાર્તા સાંભળતા હોઈ એમ પણ જાણે અંતર માંથી જ કંઈક અલગ અવાજ આવતો હોઈ એમ તરૂણ વય ના આઈ માં લોડણ આ વાત ને તન્મયતા થી સાંભળે છે !
અંતે જિજ્ઞાસાવશ આઈ માં લોડણ પેલા સાધુ ને પુછે છે કે મારે મીરાંબાઈ જેમ કૃષ્ણ ને પામવા હોય તો ?
આ સવાલ બાળસહજ સમજી અને વાત ટાળવા માટે કે આ તો બાળક છે કાલ ભૂલી જશે એમ માની અને સાધુ મહાત્મા કહે
'' બેટા એના માટે તો તારે આકરૂ તપ કરવૂ પડે આજીવન બ્રહ્મચર્ય નુ પાલન કરવુ પડે આજ થી પુખ્ત વય ની થા ત્યા સુધી પરપુરૂષ નુ મોઢું સુધ્ધા ન જો અને પુખ્ત વયે પહેલુ મુખ દ્વારકાધીશ નુ જો તો જ ક્રૃષ્ણ તને સ્વિકારે '' !
બાળસહજ બુદ્ધી મા આઈ લોડણ આવુ આકરૂ નીમ લ્યે છે અને વર્ષો સુધી એનુ કઠોર પાલન કરે છે પોતાના બાપ જેરામ આતા અને ભાઈ ( જેનુ નામ પણ ખીમરો જ હોવાનુ મનાય છે ). સિવાય કોઈ પુરુષ નુ મૂખ જોતાં નથી અને ક્રૃષ્ણભક્તિ માં લીન રહે છે !
વર્ષો ના વહાણા વિતે છે અને આઈ માં ની વય પૂખ્તતા ના ઉંબરા ને અડકવા માં છે ખંભાત થી જબરો સંઘ લઇ અને આઈ લોડણ દ્વારકા ની યાત્રા એ નિકળે છે !
હાલતા હાલતા સંઘ રાવલ (સુર્યાવદર ની નજીક હાલ નુ રાવલ તા.કલ્યાણ પૂર જિ. દ્વારકા ) નજીક પહોંચે છે અને સાથે પહોંચે છે સંઘ નુ કેટલાય ગાઉ થી પગેરૂ દબાવતા બહારવટીયા સાંજ ના સમયે સંઘ પર લૂંટ ના ઈરાદે હિચકારો હુમલો થાય છે પણ ડાડો ખીમરો ત્યાં સાની નદી ના કાંઠે પોતાના ખેતર માં પાણી વાળતો હોય છે દૈવી અવતાર સમાન ડાડો ખેમરો સંઘ ની વહારે દોડી જાઈ છે અને જીવ સટોસટ ની લડાઈ કરી બહારવટિયાઓ ને ભગાવે છે સાંજ પડી ગઇ હોય સંઘ રાતવાસો કરવા ત્યાં રોકાઈ છે !
આ ઉત્તમ બ્રમચર્ય તપ ધરાવતી આઈ ની વાત સાંભળી અને ગામની બેન દીકરી ઓ અને માવડીયુ સાંજે ત્યા દર્શને જાય છે પણ પૂર્વભવ ની પ્રિત જાણે બોલાવતી હોય એમ જતિ નો અવતાર ડાડો ખીમરો પણ ત્યાં દર્શન ની હઠ લ્યે છે !
મારે ઈ ભગતાણી ને જોવી છે
પણ કોઈ ના તપ થોડા ભંગાઈ ઠાકર કોઈ દી માફ ના કરે મારા લાડકા દેર !
પણ વ્રત તો એણે કોઈ પરપુરૂશ નુ મોઢું ન જોવાનું લીધુ છે કોઈ ને મોઢું ન જોવા દેવા નુ થોડું નીમ છે , હુ છેટો ઉભી ને જોઈ લઇશ અને એને ખબર પણ નહી પડે !
પણ ન્યા તને લય કેમ જાવો ?
આખરે હઠે ભરાઈ ને ખીમરો ભોજાઈ (ભાભી) ના કપડાં પેરી સ્ત્રી વેશે સાથે જાય છે !
આ બાજુ આઈ લોડણ સહુ શ્રધ્ધાળુ સાથે સત્સંગ કરતા બેઠા છે અને ત્યા એ બાજુ ડાડા ખેમરા બીજી સ્ત્રીઓ સાથે ઈ બાજુ આવે છે , હવે બીના એવી બને છે કે જાણે આ જન્મોજનમ ની પ્રેમકથા હોઈ અને ખુદ જગતનિયતા જ બેય ના મીલન કરાવતો હોય , ટૂંક માં ચાલી ને આવતા ખીમરાડાડા અને સ્ત્રીઓ ને પાણી નુ એક નાનુ વહેળુ પસાર કરવાનુ થાય છે જે પુરુષ સહજ સ્વભાવે ખેમરો ટપી (ઓળંગી) જાય છે જ્યારે અન્ય સ્ત્રીઓ એમાં પગ બોળી ને ચાલે છે , આ દ્રશ્ય આઈ માં નિહાળે છે અને પગ થી પુરૂષ પરખાઈ જવા છતા ઈશ્વર કૃત જિજ્ઞાસા થી ખીમરા નુ મોઢું આઈ માં જોઈ લ્યે છે !
આઈમાં ના નીમ નો ભંગ થાય છે પણ તપસ્વિ સમાન માતાજી એને ઈશ્વર ની મરજી સમજી ખીમરા ને પ્રભુપ્રસાદી તરીકે સ્વિકાર કરે છે અને સાથે જીવવા મરવા ના એકબીજા ને કોલ દયે છે !
''ખીમરા દ્વારકા વારા ની જાત્રા પુરી કરી અને પછી જ ચોરી ના ફેરા ફરશુ''
''ઠીક ત્યારે ઠાકર કરે ઈ ઠીક''
ડાડો ખીમરો આઈ માં ને જાત્રા પુરી કરવા ની રજા આપે છે પણ પ્રેમ ની અમર ગાંઠ એને અકળાવે છે , આખરે સંઘ જાત્રા પૂરી કરવા દ્વારકા ના મારગે હાલતો થાય છે !
આ બાજુ વરસો નુ વેર સંઘરી ને બેઠેલ બહારવટીયાઓ રાત ના અંધકાર માં નિંદ્રાધીન ખીમરા ઉપર ખૂની હૂમલો કરી એને કરપીણ હત્યા કરે છે !
પેલી બાજુ દ્વારકા ના દરિયા કિનારે પવિત્ર ગોમતીજી માં સ્નાન કરી ૫૬ પગથિયા ની સીડી ચડી અને રાજાધિરાજ ની મંગળા આરતી ના દર્શન કરી રહેલ લોડણ ને આ દૃશ્ય ત્યા સ્વપ્ન સ્વરૂપે દેખાય છે અમંગળ ભાસતા આઈ મનોમન પ્રાર્થના કરે છે !
દ્વારકા ના દેવળમા સમણુ દીઠુ એક
સાચુ હોજો સગા વીર નુ પણ ખોટુ ઈ ખીમરા નુ !
ઉતાવળે પગલે સંઘ પાછો આવે છે પણ
જાણે ધરતી વાંઝણી થઇ ગઇ હોય એમ નૂર ગુમાવી બેઠી છે , ઝાડવા જાણે હમણા લોડણ એની પાસે એના ખીમરા નો જવાબ માંગશે એમ ઝંખવાણા પડી ગ્યા છે , પણ મનેખ ? જાણે કુદરત નો કોઈ જઘન્ય અપરાધ કરી બેઠા હોય જેની સજા કલ્પી ન શકાય !
છેવટે હિમાલય નુ કાળજુ ફાડી નાખે કરૂણ રૂદન કરતાં કરતાં આઈ લોડણ ખીમરા ની ખાંભી પાસે આવે છે સારસ થી વિખૂટી પડેલી સારસી જેમ ઝુરી ઝુરી ને એના પ્રાણ ત્યાગે એમ આઈ માં લોડણ ખીમરાડાડા ની ખાંભી માથે પોતાનુ માથું પછાડી પછાડી ને પ્રાણ ત્યાગે છે !
કોઇ ચડાવે સીંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોઈ , તારી ખાંભી માથે ખીમરા !
હાલ રાવલ ( તા. કલ્યાણ પુર જિ. દ્વારકા ) ના પાદર માં ખેમરા લોડણ ની ખાંભી આવેલી છે જયાં હાલ મંદિર પણ નિર્માણ પામેલ છે સાથે કુળદેવી માં વિંધ્યવાસીની બિરાજમાન છે , થોડે જ દુર સુર્યાવદર ની સીમ મા ડાડા ની રણ ખાંભી પણ છે , દર વર્ષે રાવલીયા (આહીર) કુટુંબ ત્યા ભેગુ થઈ હવન કરે છે.અને ડાડા ને પૂજે છે !
પણ હજી આ ઈતિહાસ અનેક રહસ્યો સાચવી ને બેઠો છે આઈ માં લોડણ અને ડાડા ખીમરા ને પ્રાર્થના દયા કરે જેથી આવનારી પેઢી ઉજળા ઈતિહાસ ની અસ્મિતા જાણે તથા ઉજળા વારસા થી માહિતગાર થાય !
જય મુરલીધર જય માતાજી


